ડો.રચનાબેન રથવી વતન આદરિયાણાં તેમને ઝીંઝુવાડા મુકામે મેડીકલ ઓફિસર તરીકે ફરજ દરમ્યાન શ્રી ઝીંઝુવાડા કન્યાશાળાનાં શેૈક્ષણિક દીકરીઓને આરોગ્ય શારીરીક ફેરફારો શારીરિક સ્વચ્છતા જેવી વિવિધ બાબતે જાગૃત કરી દીકરીઓને માતૃપુજન કાર્યક્રમ હોય કે અન્ય વાલી એમાંય માતાઓને રણકાંઠાની દિકરીઓ ગામડાંની દિકરીઓ ભણીગણી આગળ વધી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.એમનો વ્યવસાય ભલે આરોગ્યને લગતો હોય પણ શિક્ષણ પ્રત્યે રસરુચિ ખુબ જ.
શાળાની દિકરીઓને આરોગ્યકેન્દ્રની મુલાકાત લેવાં મુંઝવતાં પ્રશ્નો બાબતે બેનને મળવાં ખુલ્લું આમંત્રણ આપેલ. આવાં સરળ હૃદયી કર્મઠ નિષ્ઠાવાન બેનને એમ.ડી.તરીકે આણંદ ખાતે પ્રવેશ મળતાં શાળા પરિવાર ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે.
તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખુબ ખુબ શુભકામનાંઓ બેન અને એમનાં જીવનસાથી પતિદેવ કે જેઓ પણ એમ.ડી.માં પ્રવેશ મેળવેલ છે એમને તથાં બેનનાં માતા- પિતા સૌને ખુબ ખુબ શુભકામનાઓ સહ અભિનંદન
No comments:
Post a Comment