શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...
Showing posts with label tour 2020. Show all posts
Showing posts with label tour 2020. Show all posts

Wednesday, January 22, 2020

શાળા પર્યટન ૨૦૨૦ -૨૦૨૧

            આજ રોજ શ્રી કન્યાશાળા ઝીંઝુવાડામાં  શાળા એક દિવસીય પર્યટન યોજાયું. જેમાં ધોરણ ૧ થી ૪ ના બાળકોને ટ્રેકટરમાં અને ધોરણ ૫ થી ૮ ના બાળકોને જે તે વર્ગ શિક્ષક સાથે ચાલતા પર્યટન સ્થળે જવાનું ચાલુ કર્યું.લગભગ ૧૧.૩૦ કલાકે ઝીલકેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા. બાળકોએ ચાલતા ચાલતા ઘુડખર અને અન્ય જીવો નિહાળ્યાં.કચ્છ નાનું રણ બાળકોનએચાલતા ચાલતા નિહાળ્યું.  
   ત્યાં બાળકોએ રામદેવપીર મંદિર,વડવાળા બાપુની મુખ્ય જગ્યા, ઝીલકેશ્વરતળાવ અને ઝીલકેશ્વર મહાદેવ મંદિરની જગ્યા નીહાળી દર્શન કરવાની સાથે સ્થાનિક આગેવાન દ્વારા બાળકોને જગ્યાનો ઈતિહાસ મહિમા વિશે સમજાવ્યું.શાળાના શિક્ષકશ્રી દશરથભાઈ ચૌહાણ દ્વારા પણ આ વિષે માહિતી અપાઈ.
   બાળકો ત્યારબાદ બપોરે ૧:૧૦ કલાકે ત્યાંથી નજીક આવેલા સ્થળ તેજેશ્વર મહાદેવના મંદિર તરફ હારબદ્ધ નીકળ્યા. ત્યાં બધા ખુલ્લી જગ્યા અને અન્ય સ્થળે બધા ગુપમાં બેસી ભોજન લીધુ.